એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રર્હ્યો છુ એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
- ગૌતમ રાણપરિયા
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રર્હ્યો છુ એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
- ગૌતમ રાણપરિયા
મારુ નામ ગૌતમ રાણપરિયા. નવેમ્બર-૧૯૯૧ માં આ જગતનાં કરોડો લોકોમાં એકનો ઉમેરો થયો હતો, એ હું. મારો જન્મ અમરેલી ના નાની કુકાવાવ ગામમાં થયેલ.આજે મારો પરિચય આપતી વખતે એમ થાય છે કે આટલાં વર્ષો કેમ પસાર થઇ ગયા તેની ખબર જ નથી પડી.મારા ઉપર પપ્પાનો નાનપણથી જ ગજબનો અને અસહ્ય કડપ (અંકુશ) છતાં પણ મારી નજરે આજે હું ખુશ અને સુખી છું.અને એની પાછળનું કારણ એ નથી કે મારૂ વિશાળ વાંચન છે, કે આર્થિક સક્ષમતા છે, કે નથી એ કારણ કે મારી આજુબાજુનાં લોકો કદાચ સારા છે, પણ એકમાત્ર કારણ એ છે કે હું મારૂ જીવન વિવેકબુધ્ધિથી જીવવામાં માનું છું.
એડવર્ડ ગિબન નામનાં વિચારકે પણ કહ્યું જ છે ને કે, ‘દરેક માણસનાં શિક્ષણનો સર્વોતમ અને સૌથી અગત્યનો ભાગ એણે પોતે પોતાની જાતને આપેલું શિક્ષણ છે.’ અને છતાંય મને એ પણ સમજ છે કે કેટલીક વખત આપણાં સુખમાં બાહ્ય પરીબળો પણ અસર કરતાં હોય છે. જો કે ત્યારે પણ વિવેકબુધ્ધિની જરૂર પડતી હોય છે, પણ ઘણીવખત બચી શકાતું હોતું નથી. એમર્સને પણ કહ્યું જ છે ને કે, ‘મનુષ્ય સામાન્ય રીતે ભિખારીની હાલતમાં રહે છે, પણ કોઇવાર તે જાગૃત થાય છે. પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરે છે, અને તેને લાગે છે કે તે સાચો રાજકુમાર છે’.
મારા શોખની વાત કરૂ તો તેમાં પણ મારી કોઇ એકની પસંદગી નથી. વાંચન અને સાહિત્યમાં રૂચી છે પણ કોઇ Special પ્રકાર કે વિષય નહિં. સંગીત ગમે છે. ગુજરાતી ગઝલ ગમે છે તો English, Remix અને Pop ગીતો પણ ગમે છે. ફિલ્મોમાં પણ આવું જ અને ખાનપાનમાં પણ આવું જ. રહી વાત આ બધામાંથી આનંદ મેળવવાની તો એમ કહી શકાય કે નાનપણમાં પતંગો લુટવા જતો, લખોટી અને ગિલ્લીએ રમતો, સાયકલ ફેરવતો વગેરે વગેરે…
મારી કોઇ ખાસ મહત્વાકાંક્ષા નથી. હા, ઇચ્છાઓની થોડી ટૂંકી યાદિ જરૂર છે, ને એ પૂરી કરવા માટે ચાલુ છું – દોડતો નથી. બાકી મહત્વાકાંક્ષા તો એવી બાબત છે ને કે એ માણસને દોડાવી-દોડાવીને થકવી નાખે છે. શેક્સપિયરનાં ‘મેકબેથ’ નાટકમાં મેકબેથ રાજાનો વિશ્વાસુ સેનાપતિ હોય છે. તેનાં હદયમાં મહત્વકાંક્ષાનાં મૂળ હોય છે, જેની ડાકણો તેને જાણ કરે છે અને લેડી મેકબેથ (તેની પત્ની) તેને એ સિધ્ધ કરવાં માટે પ્રેરે છે. તેનાં કેવા ભયંકર પરિણામો? સારપ ધરાવતો મેકબેથ ખૂની-હત્યારો બની જાય છે, ને આખરે તેનું નિશ્ચિત પતન. મહત્વાકાંક્ષી વ્યક્તિથી ઘણીવાર સમાજને પણ લાભો મળતા હોય છે, પણ મોટેભાગે તો ન કરવા જેવા કામો કરવા પડતાં હોય છે, ઇચ્છા વિરૂધ્ધ કરવાં પડે છે, ન બોલવું હોય એ બોલવું પડે છે. જે હોય તે, આ તો વ્યક્તિગત બાબત છે, પણ જો એથી માનસિક સંતાપ રહેતો હોય એનો તો વ્યક્તિએ પોતે જ કમને સ્વીકાર કરવો પડે છે.
શબ્દોને પાલવડે રમતો આવ્યો છું,
ભાવોની સંતાકુકડી ખેલતો આવ્યો છું;
અર્થોના ઝોલે ખુબ ઝુલતા ઝુલતા,
સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવ્યો છું.
- ગૌતમ રાણપરિયા