લસણનું અથાણું
સામગ્રી :
300 ગ્રામ કળીઓ વિનાનું પહાડી લસણ,
1 કપ સરકો,
1 ચમચી વાટેલી વરિયાળી,
1 ચમચી વાટેલી મેથી,
1 ચમચી વાટેલું જીરું,
1 ચમચી મરચું,
100 ગ્રામ ગોળ,
20 ગ્રામ વાટેલું આદુ,
50 ગ્રામ રાઈ,
10 ગ્રામ કિશમિશ,
250 ગ્રામ તેલ,
30 ગ્રામ તલ,
1 મોટો ચમચો હળદર,
1 મોટો ચમચો મરીનો પાઉડર,
1-1/2 ચમચી મીઠું.
રીત :
સૌપ્રથમ લસણને છોલી તેમાં ચીરો કરી વાટેલી વરિયાળી અને મેથી ભરી દો. હવે બે મોટા ચમચા તેલ લઈ તેમાં આદુ સાંતળો. આદુ લાલ રંગનું થાય એટલે એ જ તેલમાં મીઠું, હળદર, મરચું, મરીનો પાઉડર અને જીરું ભેળવો. તલ અને કિશમિશ પણ તેમાં નાંખી દો. આ આદુવાળા મિશ્રણમાં ભરેલું લસણ નાંખી ધીમી આંચ પરથી ઉતારી લો. તેમાં રાઈ ભેળવો. સરકામાં ગોળ નાંખી ગરમ કરો. તેના 1-2 ઊભરા આવવા દો. સાફ બરણીમાં પહેલાં લસણનું મિશ્રણ ભરો. તે ઠંડુ થાય એટલે તેના પર ગોળવાળો સરકો રેડો. ચાર કલાક પછી ગરમ કરીને બાકીનું તેલ પણ રેડી દો. આ અથાણું હૃદયરોગ તથા ડાયાબિટીસના દર્દી પણ ખાઈ શકે છે.