આપણા ગુજરાતમાં સૌ પ્રથમ શું?
1] અંગ્રેજી શાળા : 1846 [અમદાવાદમાં]
2] કન્યાશાળા : 1849 [અમદાવાદમાં]
3] કાપડમિલ : 1881 [અમદાવાદમાં]
4] કૉલેજો :
1) ગુજરાત કૉલેજ -1879 (અમદાવાદ)
2) એલ. એ. શાહ લૉ કૉલેજ 1927 (અમદાવાદમાં)
3) એચ. એલ. કૉમર્સ કૉલેજ 1937 (અમદાવાદમાં)
5] વર્તમાનપત્ર : વરતમાન, 1849 (અમદાવાદમાં)
6] ગુજરાતી શાળા : 1826 (અમદાવાદમાં)
7] ગુજરાતી સામાયિક : બુદ્ધિપ્રકાશ – 1850 (અમદાવાદમાં)
8] છપખાનું : 1842 (સુરતમાં)
9] સ્ત્રી સામાયિક : ‘સ્ત્રીબોધ’ – 1857 (અમદાવાદમાં)
10] પુસ્તકાલય : 1824 (સુરતમાં)
11] રેલ્વે : ઉતરાણ (સુરત)થી અંકલેશ્વર 1855માં
12] શબ્દકોષ : નર્મકોશ-1873 લેખક શ્રી નર્મદ
13] સંગ્રહસ્થાન : 1894 (વડોદરામાં)
14] દવાની ફૅક્ટરી : 1905 (વડોદરામાં)
15] ચલચિત્ર : ‘નરસિંહ મહેતા’ 1932માં
16] પંચાયતી રાજ્ય : 1 – 4 – ’63
17] આયુર્વેદ યુનિવર્સિટી : 1968 [ જામનગરમાં]
18] ગુજરાત યુનિવર્સિટી : 1948 [ અમદાવાદમાં ]
19] કૃષિ યુનિવર્સિટી : 1973 [દાંતીવાડા]
20] ટેલિવિઝન : 1975 – [પીજ, જિલ્લો ખેડા]
શ્રાદ્ધનાં વિવિધ પ્રકાર
શ્રાદ્ધ એટલે મૃતક, અવગતે ગયેલા સ્વજન, સ્નેહીજન, પૂર્વજનું શ્રદ્ધાપૂર્વક કરેલું તર્પણ.
શાસ્ત્રોમાં શ્રાદ્ધનાં અનેક પ્રકાર જણાવ્યા છે. શ્રાદ્ધનાં પારંપારિક 17 પ્રકાર છે.
1] નિત્ય શ્રાદ્ધ:- આ શ્રાદ્ધ જળ દ્વારા, અન્ન દ્વારા દરરોજ થાય છે. શ્રદ્ધાપૂર્વક આસ્થાથી નિત્ય દેવપૂજન, માતાપિતા અને ગુરુજનના પૂજનને નિત્ય શ્રાદ્ધ કહે છે.
2] કામ્ય શ્રાદ્ધ:- જે શ્રાદ્ધ કંઈક કામના કે ઈચ્છાપૂર્તિ માટે રાખવામાં આવે છે તેને કામ્ય શ્રાદ્ધ કહે છે. પૂર્વજોના આશીર્વાદથી નિર્ધારિત કાર્યો કે કામના સિદ્ધ થાય છે.
3] વૃદ્ધ શ્રાદ્ધ:- વિવાહ,ઉત્સવ વગેરે અવસર પર વૃદ્ધોના આશીર્વાદ લેવા માટે કરાતું પૂજન એ વૃદ્ધ શ્રાદ્ધ કહેવાય છે.
4] સર્પિડિત શ્રાદ્ધ:- મૃતકના સ્મર્ણાર્થે અવારનવાર કરાતું શ્રાદ્ધ. આ શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજનાર્થે કાચી સામગ્રી [સીધુ] આપવામાં આવે છે.
5] પાર્વ શ્રાદ્ધ:- મંત્રોથી પર્વો-તહેવારો પર કર્વામાં આવતુ શ્રાદ્ધ. અમાવસ્યાને દિવસે પણ આ શ્રાદ્ધ કરી શકાય છે.
6] ગોષ્ઠ શ્રાદ્ધ:- ગૌશાળામાં બેસી મૃતકના સ્મરણાર્થે ગાયોને ખવડાવી ગોષ્ઠ શ્રાદ્ધ થાય છે.
7] શુદ્ધિ શ્રાદ્ધ:- પોતાની શુદ્ધિ કરાવવા જે શ્રાદ્ધ થાય એ શુદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે.
8] દૈવિક શ્રાદ્ધ:- દેવતાઓની પ્રસન્નતા માટે દૈવિક શ્રાદ્ધ થાય છે.
9] કર્માંગ શ્રાદ્ધ:- આવનારા સંતાન માટે ગર્ભાધાન, સોમયોગ,સીમંત, ઉપનયન વગેરે પિતૃઓનું પૂજન કરવામાં આવે છે તેને કર્માંગ શ્રાદ્ધ કહેવાય છે.
10] તૃષ્ટિ શ્રાદ્ધ:- વિદેશ જનારા કે દેશાંતર જનારાના કલ્યાણ માટે જે શૂભકામના સાથે કરાતા પૂજનને તૃષ્ટિ શ્રાદ્ધ કહેવાય છે.
11] જગતિયું શ્રાદ્ધ:- નિઃસંતાન વ્યક્તિ કે જેની પાછળ કોઈ શ્રાદ્ધવિધિ કરનારું સંતાન ન હોય તે પોતાના જીવતા પોતાનું શ્રાદ્ધ કરાવી બ્રહ્મભોજન કરાવી દાનદક્ષિણા આપે તેને જગતિયું શ્રાદ્ધ કહે છે.
12] તિથિ શ્રાદ્ધ:- આપણા પૂર્વજ સ્વજન જે તારીખે કે તિથિએ અવ્સાન પામ્યા હોય તે તિથિએ શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે તેને તિથિ શ્રાદ્ધ કહેવાય છે. આ સર્વોત્તમ પ્રકારનું શ્રાદ્ધ ગણાય છે.
13] અમાસનું શ્રાદ્ધ:- જેમના મૃત્યુની તિથિ યાદ ન હોય એમના શ્રાદ્ધ માટે અમાસની તિથિ યોગ્ય માનવામાં આવે છે.
14] ચૌદસનું શ્રાદ્ધ:- જેમનું મૃત્યુ હથિયાર વડે, બૉમ્બવિસ્ફોટોથી થયું હોય તેમનું ભાદરવા વદ ચૌદસને દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. સધવા અથવા વિધવા મૃતક સ્ત્રીઓનું શ્રાદ્ધ ભાદરવા વદ નોમની તિથિએ કરવામાં આવે છે.
15] તેરસનું શ્રાદ્ધ:- નાના મૃતક બાળકોનું, કુંવારા યુવક-યુવતીઓનું શ્રાદ્ધ ભાદરવા વદ તેરસને દિવસે કરવામાં આવે છે.
16] અક્ષય શ્રાદ્ધ:- મઘા નક્ષત્રને દિવસે પિતૃઓને અપાયેલું અક્ષય શ્રાદ્ધ કહેવાય છે જે પિતૃઓ અધિક પસંદ કરે છે.
17] નિષિદ્ધ શ્રાદ્ધ:- રાત્રીના સમયે શ્રાદ્ધ કર્મ બિલકુલ નિષિદ્ધ છે.
પૂર્વજોના પુણ્યે આપણે ઘણીવાર અનિષ્ટતાથી બચી જઈએ છીએ. શ્રદ્ધાથી-આસ્થાથી-પૂજ્ય ભાવે જે વ્યક્તિ શ્રાદ્ધાદિ કાર્ય સંપન્ન કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.