અજમાવી જુઓ
• હેડકી રોકવા થોડીવાર શ્વાસ રોકો.
• તુલસીના પાન મોંમા રાખી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થશે.
• સામાન્ય ઉલટી શાંત કરવા એક કપ ટામેટાનો રસ, સાકર, એલચી, લવિંગ તથા મરીનો ભૂકોએ ભેળવી પીવું. ઉલટી તેમજ પેટની ગરબડ દૂર થશે.
• સ્તનપાન કરાવતી માતાને જો ગાજર માફક આવતી હોય તો તેનો રસ નિયમિત પીવાથી દૂધ વધુ આવશે.
• એક ચમચી તુલસીનો રસ પીવાથી ઊલટી બંધ થાય છે.
• ચમેલીના પાનનો રસ પગની એડીની ફાટેલી ત્વચા પર લગાડવાથી રાહત થાય છે.
• કાંદાના રસમાં ખડા સાકર ભેળવી પીવાથી હરસ પર રાહત થાય છે.
• વાયુ, વિકાર તથા ગેસ તેમ જ કૃમિની રાહત પામવાફૂદીનાના રસમાં થોડું કાળું સંચળ ભેળવી પીવો.
• સંતરાની છાલની પેસ્ટ બનાવી શરીર પર લગાડવાથી સામાન્ય ત્વચા રોગમાં રાહત રહે છે.
• પ્રસૂતાને મખણાનો હલવો ખવડાવાથી શક્તિ વધે છે.
• દૂધ દહીંને સરખી માત્રામાં લઈ શરીરે માલિશ કરવાથી ત્વચા નિખરે છે.
• ચારોળીને દૂધ સાથે વાટી લગાડવાથી ત્વચા ચમકે છે.
• પંખા અને લોખંડની બારીઓ કે ગ્રીલ પર જાળા ન જામે તે માટે તેને કેરોસિનથી સાફ કરવા.
• નોનસ્ટિક વાસણોને વિનિગરથી રગડવાથી વાસણ આસાનીથી સાફ થઈ જશે.
• ફર્નિચર પરના ડાઘ સાફ કરવા માટે સિગરેટની રાખમાં વિનિગર ભેળવી ફર્નિચર સાફ કરવું.
• પોતુ મારતી વખતે પાણીમાં થોડીક ગળી ભેળવવાથી લાદી ચમકી ઉઠશે.
• વાળમાં લગાડાવાની ડાઈના રસાયણનાં ડાઘા કપડા પર એક કાંદો કાપીને થોડીવાર મૂકી રાખો અને આ પછી સાબુથી ધોઈ નાખો.
• કપડાં પર લાગેલા ચાના ડાઘા દૂર કરવા એક કપ ગરમ પાનીમાં એક ચમચો બોરેક્સ પાઉડર ભેળવીને એ પાણીથી એ સ્થાન ધોઈ કાઢો.
• ડ્રેસિંગ ટેબલ પરની હેર પિંસ, સોય, યુપીન કે ટાંચણીઓ એક સ્થાને રાખવા માટે લોહચુંબકનો ઉપયોગ કરો.
• મધની શુદ્ધતા ચકાસવા માટે મધનાં ટીપાંને પાણી પર નાખો. શુદ્ધ મધ ગોળો બની તરશે જ્યારે અશુદ્ધ મધ પાણીમાં ઓગળી જશે.
• મરચાની ભૂકીમાં જીવાત ન પડે ત માટે મીઠાની પોટલી મૂકો.
• વાળ તૈલી હોય તો પાણી અને લીંબુના રસને ભેળવી વાળ પર છાંટો અને સૂકાઈ ગયે વાળ ઓળો.
• માથાનો દુઃખાવાથી બચવા માટે લસણની એક કળી ચાવીને ખાવી અને તેની ઉપર એક ગ્લાસ હુંફાળું પાણી પીઓ.
• ફ્રુટ સલાડ બનાવતી વકહ્તે કેળા, સફરજન, સંતરા તેમ જ પપૈયા જેવા ફળો પર વાટેલી રાઈનો લેપ લગાડો. તેથી તે કાળા નહીં પડે.
• ચાંદીના વાસણો પર ટૂથપેસ્ટ ઘસી સૂકાવા દો ત્યાર બાદ તેને સૂકા કપડાથી લૂછવાથી ચાંદી ચમકી ઉઠશે.
• રંગીન કપડાં બોળતી વખતે તેમાં મીઠું અથવા એક ચમચો વિનિગર નાખવાથી કપડાં રંગ ઉડશે નહીં.
• લીંબુને મીઠાની બરણીમાં રાખવાથી લીંબુ બગડશે નહીં.
• ભજિયા બનાવતી વખતે ચણાનાં લોટમાં ચોખાનો લોટ અથવા કૉર્ન ફ્લૉર ઉમેરવાથી ભજિયા ક્રીસ્પી બનશે.
• ઈડલી બનાવવાના આથામાં એક ચમચી મેથીનો ભૂક્કો ઉમેરવાથી ઈડલી મુલાયમ તેમજ નરમ બનશે.
• સુકાયેલા કારેલાની છાલ અનાજ સાથે રાખવાથી અનાજમાં જીવાત નહીં પડે.
• આમળા વિટામિન ‘સી’ની ગરજ સારે છે.
• ટ્યૂબમાંથી કલર કાઢ્યા પછીટ્યૂબના મુખ પર થોડું મીણ લગાડવાથી બાકીનો કલર બહાર નહીં આવે.
• બચેલી ચાની સુકી કે ભીની ન હોય એ પત્તીથી ચિકણા વાસણ ઘસવાથી ચિકાશ દૂર થશે.
• શિયાળામાં કોપરેલ શીશીમાં જામી ન જાય તે માટે કોપરેલની શીશીમાં કેસ્ટર ઑઈલનાં થોડા ટીપા નાખવા.
• દૂધને ગરમ કરતી વખતે તેમાં એલચી દાણા નાખવા દૂધ બગડતું નથી.
• બિસ્કિટ બનાવતી વખતે મેંદાને કુણતી વખતે તલનાં તેલથી મસળવો. જેથી બિસ્કિટ કરકરા થશે.
• કાચા ટામેટાને કાંદા સાથે રાખવાથી જલ્દી પાકી જશે.
• શેકેલા પૌંઆનો ચેવડો બનાવવા પૌંઆમાં મીઠું,મરચુ અને હળદર અને તેલ નાખી શેકવા તો પૌંઆ સરળતાથી શેકાઈ જશે.
• ચોખાના લોટની ચકરી બનાવતી વખતે તેમાં મલાઈ કાંતો બટર નાખવાથીચકરી કરકરી બનશે.
• પનીર બનાવ્યા બાદ બચેલા પાણીથી લોટ બાંધવાથી તેનાં પોષક તત્વો જળવાઈ રહેશે.
• ઈંડુ જમીન પર ફૂટે તો તેની પર મીઠું ભભરાવી દેવાથી લાદી બરાબર સાફ થઈ જશે. મીઠું ઈંડુ ચૂસી નાખશે.
• પંખા – ટ્યુબલાઈટ પર થતી ચીકાશ દૂર કરવા કેરોસીનથી લૂછવા.
• દૂધમાંથી પનીર બનાવતી વખતે દૂધ ફાડતી વખતે લીંબુની જગ્યાએ દહીં ભેળવવું.
• ઘરેણા પરના ઘણા અણીદાર દાણા કપડા પરના દોરા ભરાઈ જાય છે. આ દાણાની અણી પર ક્લિયર નેઈલ પૉલિશ લગાડવાથી તેમાં કપડાના દોરા ભરાશે નહીં.
• ડિટર્જંટ પાઉડર અને ચપટી હળદર પાણીમાં નાખી ઉકાળી તેમાં ફક્ત 5 મિનિટ સોનાનાં આભૂષન મૂકી રાખી બ્રશથી ઘસી સાફ કરવાથી ઘરેણા નવા જેવા ચકચકિત થઈ જશે.
• સિલ્કની સાડીને ચમકદાર બનાવવા સાડી ધોયા બાદ તેના છેલ્લા પાણીમાં એક ચમચી ગ્લિસરીન નાખવું.
• ઘી બનાવતી વખતે તેમાં નાગરવેલનું એક પાન નાખવાથી ઘી લાંબ સમય સુધી સુગંધિત રહે છે.
• ચોખાને રાંધતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી ભાત સફેદ અને ફૂલેલા બનશે.
• ફળને ફ્રિજમાં રાખવા કરતાં બહાર રાખવાથી તેનો સ્વાદ જળવાઈ રહેશે.
• બચેલી રોટલીને તળી સેવ મમરામાં મિક્સ કરી ખાવાથી ભેળનાં મિક્સરની ગરજ સારશે.
• નાળિયેરની કાચલીને ફ્રિઝરમાં રાખવાથી બગડતું નથી.
• મોંઢામાંથી કાંદાને દુર્ગંધ દૂર કરવા લીંબુનો રસ અને ગુલાબજળનાં મિશ્રણથી કોગળા કરવા.
• કાંદા કાપ્યાં પછી હાથમાં મીઠું રગડવાથી હાથમાંથી કાંદાની વાસ જતી રહેશે.
• બટાટાનાં સૂપમાં થોડું આદુ ઉમેરવાથી સૂપ સ્વાદિષ્ટ બનશે.
• બટાટાને કાપી મીઠાવાળા પાણીમાં રાખવાથી તેનાં વિટામિન જળવાઈ રહેશે.
• વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણને થોડીવાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો.
• એલચી ખાવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.
• બોરિક પાઉડરમાં થોડી સાકર અને પાણી ઉમેરી નાની નાની ગોળીઓ બનાવી વાંદા થતાં હોય તે સ્થાને રાખવાથી વાંદાનો ઉપદ્રવ દૂર થશે.
• અરીસા અને બારીના કાચ ચમકાવવા ધોવાના પાણીમાં થોડો અમોનિયા ઉમેરી દો.
• આઈસ ટ્રેમાંથી બરફના ટુકડા ન નીકળતા હોય તો આઈસને ટ્રેને ગરમ કપડાંમાં લપેટી દો અથવા એના તળિયાને પાણીમાં ડુબાડી દો.
• ગરમ પાણીમાં કેરોસીન નાખી કાચ સાફ કરવાથી કાચ સાફ અને ચમકદાર બનશે.
• મગની દાળનાં વડાને પોચા બનાવવા માટે તેમાં ઘઉંનો લોટ અથવા ચણાનો લોટ ઉમેરો.
• કાતર અને છરીની ધાર કઢાવતાં પહેલાં એના પર મીઠું ઘસો એનાથી ધાર તેજ થશે.
• ઘઉંમાં મેથીની ભાજીનાં સૂકા પાંદડા નાખવાથી ઘઉં બગડશે નહીં.
• લીંબુ, મોસંબી, પાકી કેરી જેવાં ફળોનો રસ કાઢતાં પહેલાં એને થોડીવાર પાણીમાં રાખવાથી વધારે રસ નીકળશે.
• મૂળાના શાકને વઘાર્યા બાદ મસાલો નાખવાથી શાકનો રંગ નીખરી ઉઠશે.
• કમળામાં રાહત મેળવવા શેરડીને આખી રાત ખુલ્લી મૂકી તેનો તાજો રસ પીવો.
• જૂના થયેલા દાઢીના બ્રશને સાબુના પાણીમાં બોળી રાખી વૉશબસીન સાફ કરવાથી વૉશબસીન ચકચકીત થઈ જશે.
• ફુદાંઓનો ત્રાસ દૂર કરવા ટ્યુબલાઈટની આસપાસ ડુંગળીની બાંધો.
• ચણાની દાળ રાંધતી વખતે એમાં દૂધીની છાલ નાખવાથી દાળનો સ્વાદ અને સુગંધ વધી જશે.